Clean Agro

ક્લીન મેગ્નેશિયમ સલ્ફેટ Mg – ૯.૫%

ક્લીન મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ ધરાવતું પાણીમાં ઓગળી શકે તેવું મેગ્નેશિયમ અનેસલ્ફરનું મિશ્રણ છે, બંને પોષક તત્વો છોડના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેગ્નેશિયમ સામેલ છેપ્રકાશસંશ્લેષણમાં, તેથી આ પોષક તત્વોની ઉણપ પાંદડાના રંગને અસર કરે છે. મેગ્નેશિયમ બીજઅંકુરણ અને હરિતદ્રવ્ય, ફળ અને કવચ વાળા ફળ (મગફળી, બદામ, ઇત્યાદિ) ઉત્પાદન માટેમહત્વપૂર્ણ છે. મેગ્નેશિયમ કોશિકા ની દિવાલોને મજબૂત કરવામાં મદદ કરે છે અને છોડના નાઇટ્રોજન,ફોસ્ફરસ અને સલ્ફરના શોષણમાં સુધારો કરે છે.

સલ્ફર, છોડના વિકાસમાં મુખ્ય તત્વ, વિટામિન્સ, એમિનો એસિડ (તેથી પ્રોટીન) અને ઉત્સેચકોનાઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. તે સંયોજન છે જે ફુલાવર અને ડુંગળી જેવા શાકભાજીને તેમના સ્વાદઆપે છે. સલ્ફર પાક ના ઉત્સેચક કાર્યપ્રણાલી ને સક્રિય કરે છે. સલ્ફરની ઉણપ પાક ના વૃદ્ધિ અને રંગમાં દેખાઈ આવે છે. સલ્ફર માટે છોડની જરૂરિયાતો ફોસ્ફરસ માટે સમાન છે.

ક્લીન મેગ્નેશિયમ સલ્ફેટમાં ૯.૫% પાણીમાં ઓગળી શકે તેવો મેગ્નેશિયમ અને ૧૨% પાણીમાં ઓગળીશકે તેવો સલ્ફર હોય છે. ક્લીન મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ ખેતીમાં જરૂરી પોષક તત્વ તરીકે થાયછે જે છોડ ઉગાડવાની પ્રક્રિયામાં ઘણા ઉત્સેચકોના સક્રિય કરવાનાં તત્વો તરીકે કામ કરે છે. કાર્બન નાચયાપચય, નાઇટ્રોજન ના ચયાપચય અને છોડની સક્રિય ઓક્સાઇડ ક્રિયા માટે મોટી અસર ધરાવે છે.ક્લીન મેગ્નેશિયમ સલ્ફેટ એસિડિક માટી, અત્યંત લીચિંગ માટી, રેતાળ જમીન માટે યોગ્ય છે અને બીજઅંકુરણને સુધારવામાં, પોષક તત્ત્વોનું શોષણ વધારવામાં, ટ્રાન્સપ્લાન્ટ શોકને રોકવામાં, પાંદડાને ખરતાઅને ખરાબ થતા અટકાવવામાં અને બગીચાના જીવાતોને અટકાવવામાં મદદ કરે છે.

વાપરવાની રીત:

  • છંટકાવ દ્વારા
  • ટપક અને સિંચાઈ પદ્ધતિ

માત્રા:

  • ૧૦ કિલો પ્રતિ એકર માટી પર છંટકાવ કરવા
  • ૧ કિલો પ્રતિ એકર પંપ અથવા ફુવારા દ્વારા
  • પાક અને પાક ની વિકાસ ની સ્થિતિ ના અનુસાર માત્રા નક્કી કરવી.

ઉપલબ્ધ પેકિંગ:

૧ કિલો, ૧૦ કિલો, ૨૫ કિલો

બધા પ્રકાર ના પાક માટે ઉપયોગી.